લેખક: જીતેન્દ્ર વાઘેલા ,
પાનાં સંખ્યા: 64
નશો ધ ડેથ વોરંટ પુસ્તક નશો કરનાર, નશો ના કરનાર, નશો કરવા તરફ આકર્ષણ અનુભવનાર અને બાળકોને નશાથી દૂર રાખવા કે કરવાનું વિચારનાર દરેક માટે જરૂરી છે. તે આ પુસ્તકમાં સમાવેશ થયેલા ટોપિક ઉપરથી સમજાઈ જશે.
લેખકે પ્રથમ ટોપિક નશા માટે લત જગાવતા ડોપામીન નામના સ્ત્રાવ ઉપર લખ્યું છે. જેમાં સરળ રીતે સમજાવ્યું છે કે લોકોને ખબર છે કે નશો નુકસાનકારક છે છતાં કેમ કરે છે અને કેમ લતનો શિકાર બને છે. નશા જેવા મુદ્દાને વૈજ્ઞાનિક સમજ સાથે લોકો સમક્ષ મુકવાનો પ્રયાસ છે.
કુલ 23 મુદ્દા ઉપર લખાયેલ પુસ્તક છે.
1. નશાની લત માટે જવાબદાર ડોપામીન
2.વ્યસન એટલે શું
3.નશાની લત કેમ લાગે છે?
4.નશાખોર માણસ પોતે તો ડૂબે છે સાથે પરિવારને પણ ડુબાડે છે
5.મા-બાપે કરેલા નશાની આડઅસર સંતાનોમાં પણ આવે છે
6.નશાનું ગ્લેમરાઈઝશન તરૂણો માટે ખતરો
7.તમાકુ અને તેનો નશો
8.ધુમ્રપાન અને તેનો નશો
9.દારૂ અને તેનો નશો
10.દારૂનો જીવલેણ ડોઝ
11.દારૂ અને અકસ્માત
12.દારૂ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તે બહુ મોટો ભ્રમ છે
13.દારૂની ના પાડતા શીખો
14.અફીણ, હેરોઇન, બ્રાઉનસુગર
15.ચરસ, ગાંજો, ભાંગ
16.કોકેઈન
17.હુકકાબાર
18.ગુજરાત નશાબંધી અધિનિયમન 1949
19.નશામાંથી છુટકારો કેવી રીતે મેળવી શકાય?
20.નશામુક્તિ કેન્દ્રમાં નશો છોડાવવાની પ્રક્રિયા
21.નશાની લત માણસને આસમાનની બુલંદી ઉપરથી ફૂટપાથ ઉપર લાવી દે છે
22.નશો કરવો જ છે? તો હું બતાવું એવો કરો
23.નશાની ચૂંગાલમાં થયેલા શરમજનક કાંડ જીવનભરનો પસ્તાવો : એક ઉદાહરણ.
નશો સમાજને દરેક સ્તરે કોતરીને ખાઈ રહેલી ઉધઈ જેવો છે. કોઈ પણ બહાને ચાલુ કરેલો નશો ક્યારે આદત બની જાય અને એ આદત ક્યારે બીમારી બની જાય તે ખબર પડશે નહીં. એટલે આજ઼થી જ ચેતી જઈને નશાથી દૂર રહીએ.